19 February, 2021 11:00 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ટ્રાન્સજેન્ડર્સને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને તેમ જ તેમની માગણીને અનુલક્ષીને શહેર સ્વચ્છ રાખવામાં ટ્રાન્સજેન્ડર્સની ભાગીદારી સુનિશ્ચિત કરવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા કામાચ્છા વિસ્તારમાં માત્ર ટ્રાન્સજેન્ડર્સ માટેનું પ્રથમ શૌચાલય બાંધવામાં આવ્યું છે. ગઈ કાલે વારાણસીનાં મેયર મૃદુલા જયસ્વાલે આ શૌચાલયનું ઉદ્ઘાંટન કર્યું હતું.