29 March, 2020 10:21 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
લૉકડાઉન લોકોની સેફ્ટી માટે છે એટલે ઘરની બહાર નીકળવું નહીં એવું ઘણું સમજાવવા છતાં પ્રજા કોઈ કારણ વિના બહાર નીકળી પડે છે. આવા અવળચંડા લોકોને ક્યાંક પોલીસો ડંડા મારે છે, ક્યાંક મુરગા બનાવીને ચલાવે છે તો ક્યાંક ઊઠક-બેઠક કરાવે છે. ચેન્નઈમાં કેટલાક પોલીસોએ કોરોના વાઇરસના કાંટા ઊગ્યા હોય એવી હેલમેટ પહેરીને પહેલાં લોકોને ડરાવવાનું અને પછી સમજાવવાનું કામ આદર્યું છે.