22 October, 2020 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે. જેની અંદર ભાજપે બિહારના લોકોને ઘણા વચનો આપ્યા છે, તેવામાં એક વચન ઉપર વિવાદ શરુ થયો છે.
ભાજપે પોતાના ઘોષણા પત્રમાં કહ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવી તો બિહારના લોકોને મફતમાં કોરોનાની રસી આપશે. ત્યારે આ જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો છે અને વાત ચૂંટણી પંચમાં ફરિયાદ સુધી પહોંચી છે.
એટલું જ નહીં પરંતુ સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો મજાકનો વિષય બન્યો છે.
ફ્રીમાં કોરોના વેક્સિનના મુદ્દાને મજાક બનાવતા દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે.