12 December, 2023 04:33 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
મોહિત પાંડે
અયોધ્યામાં નિર્માણ પામવા જઈ રહેલ રામમંદિરના પૂજારી તરીકે ગાઝિયાબાદના મોહિત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ પૂજારી (Ayodhya Temple Priest) તરીકે જ્યારથી તેની નિમણૂક થઈ ત્યારથી તેની વિરુદ્ધ પેંતરા રચવામાં આવી રહ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે આ પૂજારીના ફેક ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત મોરચાના વડા હિતેન પીઠડિયા એ કોંગ્રેસના નેતા છે જેમણે રામ મંદિરના નવનિયુક્ત પૂજારી (Ayodhya Temple Priest) મોહિત પાંડેનો અશ્લીલ તેમ જ ફેક ફોટો વાયરલ (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral) કર્યો હતો. તેમણે કરેલી પોસ્ટમાં એક પુરુષ અન્ય મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. સાથે જ આ કૉન્ગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે તે વ્યક્તિ નવા નિયુક્ત પાદરી મોહિત પાંડે જ છે.
કોંગ્રેસના નેતાએ આ પોસ્ટ શૅર કરીને સાથે એવું લખ્યું હતું કે, “શું તમે આને અયોધ્યા રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છો? “ આવી પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં કપાળ પર તિલક અને ચંદન લગાવેલો એક વ્યક્તિ અન્ય એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. બે ખરાબ તસવીરો વાયરલ થઈ છે.
જોકે, આ ફેક ફોટો (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral)નો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિરોધ ઉગ્ર બનતાં જ કોંગ્રેસ નેતા હિતેન પીઠડિયાએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ તેમની આવી હરકતોને કારણે રામ મંદિરને લઈ લોકોમાં અફવાઓ ફેલાઈ ગઈ. અયોધ્યા પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અયોધ્યા પોલીસે ટ્વિટર પર માહિતી આપી છે કે તેમનું સાયબર વિભાગ આ મામલે તપાસ અને જરૂરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.
અશ્લીલ ફોટો વાયરલ કરનાર નેતાની ધરપકડ
પ્રાપ્ત અહેવાલો અનુસાર કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાએ એક ફેક વીડિયો વાયરલ (Fake Porn Video of Ayodhya Ram Temple Priest Goes Viral) કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ વિડિયોમાં અશ્લીલ હરકતો કરનાર રામ મંદિરના પૂજારી (Ayodhya Temple Priest) છે., પરંતુ હવે આ નેતાની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠાડિયાની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે અને IPC 469, 509, IPC 295A અને IT એક્ટ હેઠળ કેસ પણ દાખલ કર્યો છે.
આખરે જે યુવકની પૂજારી તરીકે નિમણૂક થઈ છે તે કોણ છે?
મળતી માહિતી અનુસાર રામ્ મંદિરમાં પૂજારી તરીકે ગાઝિયાબાદના યુવક મોહિત પાંડેની પસંદગી થઈ છે. જે દૂધેશ્વર વૈદિક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. સાથે જ મંદિરના પૂજારી (Ayodhya Temple Priest) બનવામાં રસ ધરાવતા 3,000 અરજદારોમાંથી પસંદ કરવામાં આવ્યો છે. સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
યુવક મોહિત પાંડેએ શેનો અભ્યાસ કર્યો છે?
પ્રાપ્ત અહેવાલો અનુસાર મોહિત પાંડેએ સામવેદનો અભ્યાસ કર્યો છે. તેણે વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સાથે જ આચાર્યની પદવી મેળવ્યા બાદ તે હાલમાં પીએચ.ડી.ની તૈયારી પણ કરી રહ્યો છે. તેણે દૂધેશ્વર વૈદિક યુનિવર્સિટીમાં સાત વર્ષ ધર્મ અને સંસ્કારોનો અભ્યાસ કર્યો. છેલ્લા 23 વર્ષથી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વૈદિક શિક્ષણ આપી રહ્યો છે.