29 March, 2020 11:09 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
જ્યારે પણ કોઈ ક્રાઇસિસ આવી હોય ત્યારે લોકોને એનાથી ચેતા અને જરૂર પડ્યે મનોબળ વધારવા માટે સદીઓ પહેલાં ચર્ચમાં ઘંટ વગાડવાની પ્રથા હતી. તાજેતરમાં સ્વિટ્ઝરલૅન્ડના લોસૅનમાં આવેલા એક કથીડ્રલમાં કોરોનાવાઇરસ સામેની ક્રાઇસિસથી જનતાને આગાહ કરાવવા માટે ઘંટ વગાડ્યો હતો. આ ઘંટ ૧૫૧૮ની સાલમાં બનાવવામાં આવ્યો હતો જેનું વજન ૩૬૦૦ કિલો જેટલું છે. છ સદી જૂનો આ જાજરમાન બેલ દરરોજ રાતે દસ વાગ્યે વગાડવામાં આવશે.