દેવીના મંદિરમાં ૮ કરોડના મૂલ્યનાં વિદેશી તથા ભારતીય ચલણથી સજાવટ કરવામાં આવી

01 October, 2022 12:04 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા

તસવીર :   એ.એન.આઇ.

નવરાત્રિના તહેવાર દરમ્યાન વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે ૧૩૫ વર્ષ જૂના દેવી વાસાવી કન્યકા પરમેશ્વરીના મંદિરમાં માતાજીની મૂર્તિને દાગીના તેમ જ વિદેશી તથા ભારતીય ચલણ મળીને ૮ કરોડ રૂપિયાના મૂલ્યની નોટોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

offbeat news national news durga puja