વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે

07 August, 2012 03:06 AM IST  | 

વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર, આજે ચેન્નઈમાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ થશે

જોકે તેમને કઈ બીમારી છે એ વિશે તેમના પરિવારે બોલવાનું ટાળ્યું હતું, પણ કહેવાય છે કે તેમના પર આજે લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. લગભગ ચાર દિવસ પહેલાં તેમની તબિયત ખરાબ થવાથી કેટલીક ટેસ્ટ માટે તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ મુંબઈમાં તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા હતા, પણ રવિવારે  તેમની તબિયત વધુ ગંભીર જણાતાં ફરીથી તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઈ કાલે તેમને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. તેઓ મેડિકલ સલાહ માટે અમેરિકા પણ જઈ આવ્યા હતા.