28 October, 2020 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટરના માધ્યમે આ વાતની જાણકારી આપી હતી. તેમણે સલાહ આપી કે જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવે.
સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું કે, આ વાતની જાહેરાત કરવા માટે મારી પાસે શબ્દો શોધવા પડ્યા હતા, સરળ શબ્દોમાં કહું તો મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હું લોકોને રિકવેસ્ટ કરુ છુ કે જે પણ મારા કોન્ટેક્ટમાં આવ્યા છે તેઓ વહેલીતકે પોતાનો ટેસ્ટ કરાવે.
થોડીવાર પહેલા જ તેમણે ટ્વીટ કર્યું છે અને ઘણા બધા લોકોએ તે જલદી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે. ટ્વીટરમાં ઘણા યુઝર્સ તેમને ગેટ વેલ સુનનો મેસેજ કરી રહ્યા છે.