ઝારખંડમાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં આગ : સાતનાં મોત

23 November, 2011 05:57 AM IST  | 

ઝારખંડમાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં આગ : સાતનાં મોત



એમાંથી સાત લોકોનાં મોત થયાં હતાં. ધનબાદના રેલવે ડિવિઝનલ મૅનેજર સુધીરકુમારે આ દુર્ઘટના વિશે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાની ચાર મહિલા રિસર્ચ સ્કૉલર હાવડાથી બોધગયા જઈ રહી હતી. એ દરમ્યાન આગને લીધે એકનું મોત થયું હતું. બાકીની ત્રણ મહિલાઓને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને રેલવે ડિવિઝનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.’

રેલવે મિનિસ્ટર દિનેશ ત્રિવેદીએ હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું તથા ઈજાગ્રસ્તોને પચીસ-પચીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં બળવખોર સંગઠનોનો હાથ હોવાનું નકારી શકાય એમ નથી. જોકે સત્ય જાણવા માટે તપાસના રિપોર્ટની રાહ જોવી પડશે. પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ વ્યક્તિ ટ્રેનની બોગીમાં ગંધયુક્ત પદાર્થ લઈને દાખલ થઈ હતી અને ત્યાર પછી આગ ફાટી નીકળી હતી.’