31 December, 2020 02:37 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રીનગરના પરમપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથે રાતભર ચાલેલી અથડામણમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
મંગળવારે સાંજે આ વિસ્તારમાં ઘેરાબંદી અને તલાશી દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હોવાનું જણાવતાં એક પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ઘેરાવ મજબૂત કરવામાં આવ્યો હતો અને બન્ને પક્ષોએ રાતભર પરસ્પર ગોળીબાર કર્યો હતો. એક આતંકવાદી વહેલી સવારે માર્યો ગયો હતો, જ્યારે કે બાકીના બેને થોડા કલાક બાદ ગોળી મારવામાં આવી હતી. પાછળથી દિવસના સમયે ઑપરેશનની વિગતો શૅર કરવામાં આવી હતી.