07 January, 2021 03:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજીવ બાલિયાન
ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લૂના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી પ્રધાન સંજીવ બાલિયાને કહ્યું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની રાખવી પડશે.
સંજીવ બાલિયાને વધુમાં કહ્યું હતું કે પક્ષીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે, પણ હજી સુધી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. હાલમાં પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂના કેસ બહાર આવ્યા છે. જેમાંથી તે પોલ્ટ્રીમાં ફેલાયા છે.