બેંગલુરૂમાં એર શો દરમિયાન 2 એરક્રાફ્ટ ટકરાયા, એક પાયલટનું મોત

19 February, 2019 03:10 PM IST  |  બેંગ્લુરૂ

બેંગલુરૂમાં એર શો દરમિયાન 2 એરક્રાફ્ટ ટકરાયા, એક પાયલટનું મોત

શૉ દરમિયાન વાયુસેનાના બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા

બેંગ્લુરૂમાં એર શૉ દરમિયાન અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે શૉ દરમિયાન વાયુસેનાના બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયા. ટક્કર બાદ બંને વિમાનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં એક પાયલયનું મોત થયુ. 

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ભારતીય હવાયુ સેનાની સૂર્યકિરણ એરોબૅટિક્સ ટીમના બે વિમાન બેંગ્લુરૂના યેલાહાંકા એરબેસે પર ક્રેશ થયું. એરો ઈન્ડિયા શૉ માટે કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન બંને વિમાન હવામાં એકબીજા સાથે અથડાયા. જોકે, બંને વિમાનના પાયલટ સુરક્ષિત બચી ગયા.

આ પણ વાંચો : 'સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાનને સમજાવો, તમને ગાળો પડે છે': દિગ્વિજય

પોલીસે જણાવ્યુ કે બુધવારથી એરશૉ શરૂ થઈ રહ્યો છે. બંને વિમાન એના માટે અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ટકરાયા. આ અકસ્માતમાં એક સામાન્ય નાગરિકને ઈજા થઈ છે.

bengaluru national news