દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં બંધ કરવાના આદેશમાં સુધારો કર્યો સુપ્રીમ કોર્ટે

23 August, 2025 01:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નસબંધી અને રસીકરણ કરીને શ્વાનોને હતા ત્યાં છોડી દેવાના, પણ આક્રમક અને રેબીઝ ધરાવતા કૂતરાઓને પૂરી રાખવાના

શેલ્ટરમાંથી કૂતરાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ આવતાં જ ડૉગ-લવર્સમાં આનંદ જોવા મળ્યો હતો.

રખડતા કૂતરાઓના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આપેલા ચુકાદામાં બધા કૂતરાઓને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે હિંસક, આક્રમક અને બીમાર કૂતરાઓ શેલ્ટર હોમમાં જ રહેશે. કોર્ટે આ સંદર્ભમાં માત્ર દિલ્હી જ નહીં, અન્ય રાજ્યોને પણ નોટિસ મોકલી છે.

૧૧ ઑગસ્ટે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)ની ગલીઓમાંથી રખડતા કૂતરાઓને પકડીને કાયમી ધોરણે શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ૧૪ ઑગસ્ટે શ્વાન પ્રેમીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કર્યા પછી જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની ત્રણ સભ્યોની બેન્ચે નિર્ણય અનામત રાખ્યો હતો. ગઈ કાલે તેમણે ચુકાદો જાહેર કર્યો હતો. રખડતા કૂતરાઓ પર ચુકાદો આપતી વખતે કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘આ એક વચગાળાનો આદેશ છે તેથી ચર્ચા ટૂંકમાં કરવામાં આવી છે. અમે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવ્યા છે.’

ડૉગ-લવર્સ અને NGO અનુક્રમે ૨૫,૦૦૦ રૂપિયા અને બે લાખ રૂપિયા જમા કરાવે : સુપ્રીમ કોર્ટ

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ અંગેના એના અગાઉના આદેશમાં સુધારો કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘વ્યક્તિગત શ્વાનપ્રેમીઓ અને નૉન-ગવર્નમેન્ટલ ઍર્ગેનાઇઝેશન (NGO)એ અનુક્રમે ૨૫,૦૦૦ રૂપિયા અને બે લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમનો ઉપયોગ રખડતા કૂતરાઓ માટે માળખાગત સુવિધા બનાવવા માટે થવો જોઈએ. જો શ્વાનપ્રેમીઓ અને NGO આનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેમને આ કેસમાં હાજર થવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.’

સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?

supreme court delhi news new delhi national news news