જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી

23 March, 2020 03:40 PM IST  |  New Delhi | Agencies

જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી

શાહીન બાગ

ભારતમાં જીવલેણ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરના લોકોએ જનતા કરફ્યુનું પાલન કરવામાં કર્યું છે. આ જનતા કરફ્યુમાં શાહીનબાગની મહિલાઓ પણ જોડાઈ છે. ૧૦૦ દિવસથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરતી મહિલાઓએ સરકારની અપીલને માન આપી શાહીનબાગ ખાલી કર્યું છે. જોકે તેમણે પોતાની જગ્યાએ ચપ્પલ મૂકી અને સાંકેતિક ધરણાં યથાવત્ રાખ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.

national news new delhi coronavirus covid19 shaheen bagh