આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર

28 November, 2012 05:43 AM IST  | 

આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર



ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના વતની અબ્દુલ હકીમ નામના યુવાનની ઑનર કિલિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માં લવ-મૅરેજ, ખાપ પંચાયત અને ઑનર કિલિંગના એપિસોડમાં ભાગ લઈ ચૂકેલા અબ્દુલના મોતથી આમિર ખાને પણ આઘાત અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન આર.પી.એન. સિંહે ઑનર કિલિંગ રોકવા માટે બંધારણમાં ફેરફાર કરવાની તરફેણ કરી હતી.

અબ્દુલે મહવિશ નામની યુવતી સાથે લવ-મૅરેજ કર્યાં હતાં. મહવિશ કથિત ઉચ્ચ જ્ઞાતિના જમીનદારની દીકરી હતી, જ્યારે અબ્દુલ સામાન્ય પરિવારનો સભ્ય હતો. બન્નેએ ભાગીને દિલ્હીમાં મૅરેજ કર્યાં હતાં. આ દરમ્યાન તેમને સતત હત્યાની ધમકીઓ પણ મળતી હતી. ૨૨ નવેમ્બરે અબ્દુલ પોતાની બીમાર માતાને મળવા બુલંદ શહેર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી.