મોદી બોલ્યાઃ મંત્રીએ માફી માંગી છે,હવે કાર્યવાહી ચાલવા દો

04 December, 2014 09:19 AM IST  | 

મોદી બોલ્યાઃ મંત્રીએ માફી માંગી છે,હવે કાર્યવાહી ચાલવા દો



નવી દિલ્હી,તા.4 ડિસેમ્બર


તેમણે આ મુદ્દે હોબાળો કરી રહેલા વિપક્ષી સભ્યોને અપીલ કરી હતી કે તેઓ સદનની કાર્યવાહી ચાલવા દે,કારણે મંત્રીએ પહેલા જ માફી માંગી લીધી છે.તેમણે કહ્યુ કે આ બાબતે આપણે સંદેશ લેવો જોઈએ કે આપણે મર્યાદા ન તોડવી જોઈએ અને દેશ હિત માટે આગળ વધવુ જોઈએ.મોદીએ આજે કહ્યુ હતુ કે મને એ વાતની જાણ છે કે એક કેન્દ્રીય મંત્રીના નિવેદનને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.મે ભાજપા સંસદીય દળની બેઠકમાં આ નિવેદનને કઠોરતાપૂર્વક નામંજૂર કર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે આપણે દરેકે આવી કોઈપણ કઠોર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.પ્રધાનમંત્રીએ સાધ્વી નિરંજન જ્યોતિના ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે તે નવા મંત્રી છે અને અમે તેમની પૃષ્ઠભૂમિ જાણીએ છીએ.મોદીએ કહ્યપુ હતુ કે તેમણે આ મામલે ક્ષમા માંગી છે.