પીએમ મોદીએ પુતિનને વાતચીતનો માર્ગ અપનાવવા વધુ એક વખત જણાવ્યું

17 December, 2022 09:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંબંધમાં મોદીએ વધુ એક વખત પુતિનને લશ્કરી ઉપાયને બદલે વાતચીત અને ડિપ્લોમસીના માર્ગે વળવા જણાવ્યું હતું

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે એક ટેલિફોનિક વાતચીત દરમ્યાન એનર્જી, વેપાર, ડિફેન્સ અને ​સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચેના સહકારની સમીક્ષા કરી હતી. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંબંધમાં મોદીએ વધુ એક વખત પુતિનને લશ્કરી ઉપાયને બદલે વાતચીત અને ડિપ્લોમસીના માર્ગે વળવા જણાવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ રશિયન પ્રેસિડન્ટને ભારતની અધ્યક્ષતા હેઠળના G20 અને એની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે પણ જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સમિટ દરમ્યાન સમરકંદમાં આ બન્ને નેતાઓની મીટિંગ બાદ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ વાતચીત થઈ હતી.

નોંધપાત્ર છે કે થોડા દિવસ પહેલાં જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદી આ વર્ષે વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે રશિયા નહીં જાય. 

national news india vladimir putin narendra modi