19 October, 2011 06:38 PM IST |
ર્કોટે ગઈ કાલે કહ્યું હતું કે આ કૌભાંડમાં રેવતી રમણની સંડોવણી હોવા વિશે પૂરતા પુરાવા છે. અદાલતે કહ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય રેવતી રમણે બીજેપીના ત્રણ સંસદસભ્યો સાથે રૂબરૂ મુલાકાતનો આગ્રહ રાખ્યો હતો. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય અમર સિંહે સમગ્ર મામલો સેટલ કર્યો હતો. રેવતી રમણ સિંહના આગ્રહને લીધે જ તેમની બીજેપીના સંસદસભ્ય ફગ્ગન સિંહ કુલસ્તે, અશોક અર્ગલ અને મહાબીર સિંહ ભગોરા સાથે મીટિંગ યોજાઈ હતી.’