તમે કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં તે ફક્ત આટલી મિનિટમાં ખબર પડશે

02 October, 2020 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં તે ફક્ત આટલી મિનિટમાં ખબર પડશે

પ્રતીકાત્મક તસવીર

તમે કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં તે ફક્ત 120 મિનિટમાં જ ખબર પડી જશે. રિલાયન્સ લાઇફ સાઇંસેસે (Reliance Life Sciences) એવી આરટી પીસીઆર કિટ (RT-PCR Kit) વિકસિત કરી છે, જે લગભગ બે કલાકમાં કોવિડ-19ના (Covid-19) તપાસનું પરિણામ આપી દેશે. કંપની સાથે જોડાયેલ સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. વર્તમાન સમયમાં આરટી-પીસીઆર કિટથી કોવિડ-19 તપાસના પરિણામમાં લગભગ 24 કલાકનો સમય લાગે છે.

આ લેબમાં વાસ્તવિક સમયમાં કોઈપણ વિષાણુના ડીએનએ અને આરએનએમાં નકલ કરવાની તપાસ કરે છે અને સાર્સ કોવ-2માં રહેલા ન્યૂક્લિક અમ્લની ઓળખ કરે છે. ન્યૂક્લિક અમ્લ દરેક જ્ઞાત જિવિત વસ્તુમાં જોવા મળે છે.

સૂત્રોએ કહ્યું છે કે રિલાયન્સ લાઇફ સાઇંસેસના વૈજ્ઞાનિકોએ દેશમાં સાર્સ-કોવ-2ના 100થી વધારે જીનોમનું વિશ્લેષણ કર્યું હતું અને આધુનિક આરટી-પીસીઆર કિટને વિકસિત કરી છે. સૂત્રએ કહ્યું કે આ કંપનીએ આ કિટને 'આરટી ગ્રીન કિટ'નામ આપ્યું છે. આઈસીએમઆરથી તેને સંતોષજનક પ્રદર્શન માટે ટેકનિકી માન્યતા મળી ચૂકી છે.

તેમ જ સૂત્રોએ ઉમેર્યું કે આ કિટ સાર્સ કોવ-2ના ઇ-જીન, આર-જીન, આરડીઆરપી જીનની ઉપસ્થિતિને પકડી શકે છે. આઈસીએમઆરની તપાસ પ્રમાણે આ કિટ 98.7 ટકા સંવેદનશીલતા અને 98.8 ટકા વિશેષજ્ઞા બતાવે છે. તેમણે કહ્યું કે આ કંપનીમાં કામ કરનાર ભારતીય શોધ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ તપાસના પરિણામ આવવામાં અંદાજિત સમય બે કલાક છે.

coronavirus covid19