06 February, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
Bharat Ratna આપવાની માગ અંગે રતન તાતાએ કહ્યું આ...
સોશિયલ મીડિયા પર જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાને ભારત રત્ન અપાવવાની માગ અંગે રતન તાતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તે લોકોની ભાવનાઓના વખાણ કરે છે પણ આવા કૅમ્પેઇન બંધ કરવી જોઇએ. રતન તાતાએ આ વાત એક ટ્વીટ દ્વારા કહી છે. જણાવવાનું કે, ટ્વિટર પર લોકોનું ગ્રુપ રતન તાતાને ભારત રત્વ આપવાની માગ કરી રહ્યું છે. આ માટે તે સોશિયલ મીડિયા પર એક ખાસ કૅમ્પેઇન પણ ચલાવી રહ્યા છે.
ટ્વીટમાં તાતાએ કહ્યું છે કે, "સોશિયલ મીડિયા પર લોકોના એક ગ્રુપ દ્વારા એક અવૉર્ડને લઈને વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓનું હું આદર કરું છું પણ ખૂબ જ નમ્રતાથી અપીલ કરું છું કે આવા અભિયાન બંધ કરી દેવામાં આવે. હું ભારતીય હોવા અને ભારતના ગ્રોથ તેમજ સમૃદ્ધિમાં યોગદાન આપી શકવા અંગે પોતાને ભાગ્યશાળી માનું છું."
રતન તાતાને ભારત રત્ન આપવાની માગ ટ્વિટર પર ત્યારે શરૂ થઈ, જ્યારે મોટિવેશનલ સ્પીકર ડૉ. વિવેદ બિન્દ્રાએ રતન તાતાને ભારત રત્ન આપવામાં આવે તે સંબંધે ટ્વીટ કર્યું. બિન્દ્રાના ટ્વીટમાં લખવામાં આવ્યું કે ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન તાતાને આપણે ભારત રત્ન આપવાની માગ કરીએ. જોડાઓ અમારી આ મોહિમ સાથે અને આ ટ્વીટને વધુમાં વધુ રિટ્વીટ કરો. ત્યાર પછી ટ્વિટર પર રતન તાતા અને ભારત રત્ન ફોર રતન તાતા હેશટૅગ ટૉપ ટ્રેન્ડમાં આવી ગયું.
શનિવારે રતન તાતા દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પછી ફરી રતન તાતા હેશટૅગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું અને રતન તાતાના આ ટ્વીટના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.
ભારત રત્ન માટે રતન તાતાના ચાહકો અને ફૉલૉવર્સે ધડાધડ ટ્વીટ કર્યા. દરેકે રતન તાતા વિશે સારી વાતોનો ઉલ્લેખ પોતાના ટ્વીટમાં કરતા વડાપ્રધાન ઑફિસમાંથી તેમને ભારત રત્ન આપવાની માગ કરી.