ફિઝાને ઝેર આપીને મારવામાં આવી હતી?

09 September, 2012 05:52 AM IST  | 

ફિઝાને ઝેર આપીને મારવામાં આવી હતી?



હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ચંદર મોહનની ભૂતપૂર્વ પત્ની અને પ્રેમિકા ફિઝાના મોતનું રહસ્ય વધારે ઘેરું બન્યું છે. ગઈ કાલે પોલીસે જણાવ્યું હતું કે ફિઝાના મૃતદેહમાંથી ઉંદર મારવાની દવા તથા આલ્કોહોલના અવશેષો મળી આવ્યા હતા. ફિઝાને ઝેર આપીને મારી નાખવામાં આવી હોવાની શક્યતાને પોલીસે નકારી નથી. ફિઝાને જોકે કોણે ઝેર આપ્યું હોઈ શકે છે એનો હજી ખુલાસો થયો નથી.

ગત છઠ્ઠી ઑગસ્ટે મોહાલીસ્થિત ઘરમાંથી ફિઝાનો મૃતદેહ લગભગ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. એ પછી કેમિકલ ઍનૅલિસિસ લૅબના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ફિઝાના શરીરમાં ઝેરના અવશેષો હતા. પોલીસે અગાઉ એવું કહ્યું હતું કે થોડા સમય પહેલાં ફિઝાને કેટલાક લોકો સાથે અણબનાવ થયો હતો.