09 November, 2012 02:50 AM IST |
માત્ર એટલું જ નહીં, જેઠમલાણીએ લક્ષ્મણની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે લક્ષ્મણ તો રામ કરતાં પણ ખરાબ હતા. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે રામે લક્ષ્મણને તેમને શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો. જોકે લક્ષ્મણે સીતાનો ચહેરો ક્યારેય જોયો નહીં હોવાથી ઇનકાર કરી દીધો હતો.’ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રામ જેઠમલાણીએ એવું કહીને વિવાદ સરજ્યો હતો કે આજના જમાનામાં ધર્મ બદલાઈ ગયો છે, ધર્મ હવે માત્ર આતંકવાદીઓ જ પેદા કરે છે.
બીજેપી = ભારતીય જનતા પાર્ટી