પાકિસ્તાન જણાવે કે કાશ્મીર ક્યારે તમારું હતું તો એને લઈ રોદણાં રડો છો?

30 August, 2019 01:30 PM IST  |  નવી દિલ્હી

પાકિસ્તાન જણાવે કે કાશ્મીર ક્યારે તમારું હતું તો એને લઈ રોદણાં રડો છો?

રાજનાથ સિંહનો પાકિસ્તાનને સવાલ

આર્ટિકલ-૩૭૦ને નાબૂદ કર્યા બાદ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પ્રથમ વખત લદ્દાખ પહોંચ્યા છે. તેમણે લેહ જિલ્લામાં ડીઆરડીઓના ૨૬મા ખેડૂત વિજ્ઞાન મેળાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન જણાવે કે કાશ્મીર તેમનું ક્યારે હતું કે તેના માટે તે રડી રહ્યું છે?
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કાશ્મીર તમારું ક્યારે હતું અને શા માટે તમે એના માટે રડી રહ્યા છો? આ મુદ્દે (કાશ્મીર) તમારે કોઈ લેવા-દેવા નથી. સત્ય તો એ છે કે તમે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દે તમારે કોઈ લેવાદેવા નથી.

mumbai rajnath singh