રેલવે હવે ટિકિટ ઉધાર પણ આપશે: ૧૪ દિવસમાં ભાડું ચૂકવવું પડશે

21 May, 2019 12:00 PM IST  |  નવી દિલ્હી

રેલવે હવે ટિકિટ ઉધાર પણ આપશે: ૧૪ દિવસમાં ભાડું ચૂકવવું પડશે

રેલવે

ઉનાળુ વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ ઘણી વખત લાંબા અંતરની મુસાફરી વખતે ટ્રેનની ટિકિટનું ભાડું બજેટ ખોરવી નાખે છે. જોકે, હવે ફરવા જનારા યાત્રીઓએ ટ્રેનની ટિકિટનું ભાડું તરત ચૂકવવાની ચિંતામાંથી મુક્તિ આપવા રેલવેતંત્ર દ્વારા ઉધાર ટિકિટ આપવાની યોજના શરૂ કરાઈ છે.

આ યોજના અંતર્ગત યાત્રીએ ટ્રેનની ટિકિટ બુક કરતી વેળા ભાડું ચૂકવવાનું નથી, પરંતુ ટિકિટ બુકિંગના ૧૪ દિવસ સુધીમાં ગમે ત્યારે ભાડું ચૂકવી શકશે. ભાડું ઉપરાંત ૩.૫ ટકા એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. મુસાફરોએ યાત્રાના પાંચ દિવસ પહેલાં ટિકિટ ખરીદવી પડશે તેમ જ ટિકિટ ખરીદ્યા બાદ ૧૪ દિવસની અંતર એનું ચુકવણું કરી દેવાનું રહેશે. જો યાત્રી ૧૪ દિવસમાં ટિકિટનું ભાડું નહીં ચૂકવે તો ભાડું ઉપરાંત દંડની વસૂલાત કરશે.

આ પણ વાંચો : કબાડીએ 12 લાખમાં ખરીદેલું એન્જિન બની ગયું શહેરનું નવું સેલ્ફી પૉઇન્ટ

આ એક પ્રકારની બૅન્ક લોન જ છે જેના માટે આઇઆરસીટીસી દ્વારા કેટલીક ખાનગી બૅન્કો સાથે કરાર કરવામાં આવ્યો છે. જોકે, ટ્રેનની ટિકિટ બુક કરનારને કેટલા રૂપિયાની ક્રેડિટ આપવી એ તેની ક્રેડિટ હિસ્ટરી, ઑનલાઇન ખરીદી અને ડિજિટલ ફુટપ્રિન્ટના આધારે નક્કી થશે.

national news indian railways