PM મોદીએ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કર્યું કામઃ રાહુલ ગાંધી

12 February, 2019 12:00 PM IST  | 

PM મોદીએ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કર્યું કામઃ રાહુલ ગાંધી

રાહુલ વર્સિસ મોદી ઓન રાફેલ

વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણી માટે વચેટિયા તરીકે કામ કર્યું હોવાનો રાહુલે આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત પહેલા અનિલ અંબાણી ફ્રાંસ જઈને રક્ષામંત્રીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે રફાલ સોદો થવાના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણીને તેની ખબર હતી.

PM પર થાય કાર્રવાઈ
રાહુલ ગાંધીએ એક ઈમેઈલનો ઉલ્લેખ કર્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનના બદલે અનિલ અંબાણી ડીલ કરશે. રાહુલ ગાંધીએ એવા પણ સવાલ ઉઠાવ્યા કે રાફેલ સોદાના મામલામાં રક્ષામંત્રાલય, HAL, વિદેશ મંત્રીને પણ કોઈ જ માહિતી નહોતી. પરંતુ અનિલ અંબાણીને ખબર હતી. અનિલ અંબાણીની રાફેલ સોદા વિશે માહિતી આપીને વડાપ્રધાને ઑફિશીયલ સીક્રેટ એક્ટનો ભંગ કર્યો છે. જેથી તેમની સામે કાર્રવાઈ થવી જોઈએ. તેમને જેલ મોકલવા જોઈએ.

rahul gandhi narendra modi