રાહુલબાબાનો ઢંઢેરો અજમલને ખભે બેસાડી સીમાઓ ખુલ્લી કરવાનો છે: અમિત શાહ

01 April, 2021 12:09 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

અજમલ જેવા નેતા સાથે શું સરકાર ઘૂસણખોરી અટકાવી શકશે?

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે ગુવાહાટીમાં કામખ્યા ટેમ્પલ ખાતે પૂજાવિધિ વખતે હાજરી આપી હતી. (તસવીર: પી.ટી.આઇ.)

કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના નેતા અમિત શાહે બુધવારે આસામમાં કૉન્ગ્રેસ-એઆઇયુડીએફ ગઠબંધન પર વાર કરતાં જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીનો ચૂંટણી ઢંઢેરો બદરૂદ્દીન અજમલને તેમના ખભે ચડાવવાનો અને સીમાઓ ખુલ્લી મૂકવાનો છે. અજમલ જેવા નેતા સાથે શું સરકાર ઘૂસણખોરી અટકાવી શકશે? તેની (અજમલની) નજર સરહદની ચાવી પર છે. અજમલ, તું દિવાસ્વપ્ન શા માટે જોઈ રહ્યો છે, તને કોઈ ચાવી નહીં મળે.’

national news assam