27 April, 2026 08:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહની ફાઇલ તસવીર
પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉતાર-ચડાવ આવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા સહિત કુલ ૭ AAP નેતાઓ BJPમાં જોડાતાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની સરકારે અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. પંજાબ સરકારે BJPમાં જોડાનારા ક્રિકેટર હરભજન સિંહને આપેલી Z+ સિક્યૉરિટી હટાવી લીધી હતી એટલું જ નહીં, જાલંધરના ઘર પાસેથી રવિવારે સુરક્ષા-અધિકારીઓને હટાવી લીધા હતા. આ નિર્ણયને રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે. પાર્ટીની અંદર ખેંચતાણ ચાલી રહી છે એનું આ પરિણામ છે.
જોકે સુરક્ષાના મામલે હરભજન સિંહે બહુ રાહ જોવી નહોતી પડી. કેન્દ્ર સરકારે તરત જ તેને સુરક્ષા પ્રોવાઇડ કરી હતી.