03 January, 2021 02:10 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
અમરિન્દર સિંહ
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રધાનને ધમકી મળ્યા બાદ વહીવટતંત્ર હરકતમાં આવી ગયું છે. આ કેસમાં પોલીસે અજાણ્યા શખસ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં, કૅપ્ટનને મારી નાખવાની ધમકી સાથે ૧૦ લાખ ડૉલરનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે.