25 February, 2021 10:44 AM IST | Hooghly | Agency
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં ગઈ કાલે હુબલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદીને દાનવ, રાવણ અને ગુંડા સુધ્ધાં કહી નાખ્યા. મમતા બૅનરજીએ જનસભા સંબોધિત કરતાં કહ્યું કે ‘હંમેશાં તમે (બીજેપી) કહે છે કે તૃણમૂલ કૉન્ગ્રેસ ટોળાબાજ, પરંતુ હું આજે કહું છું કે તમે (બીજેપી) દંગાબાજ અને ધંધાબાજ છો.’