11 September, 2012 05:46 AM IST |
આ ઘટના ગયા ગુરુવારે ત્રિપુરાના પાટનગર અગરતલાથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા બામુતિયા શહેરમાં બની હતી.
અભિજિત મુખરજીની કારને કેટલાક કૉન્ગ્રેસી કાર્યકર્તાઓએ રોકી હતી. મુખરજી જેવા કારમાંથી બહાર નીકળ્યાં કે તરત કાર્યકરો તેમને કૉલરથી ખેંચીને કૉન્ગ્રેસ ઑફિસમાં લઈ ગયા હતા અને માર માર્યો હતો. કૉન્ગ્રેસના મહામંત્રી સુબલ ભૌમિકે કહ્યું હતું કે ત્રિપુરા કૉન્ગ્રેસના પ્રમુખ બલાઈ ગોસ્વામીના ઇશારે અભિજિત મુખરજીની મારપીટ કરવામાં આવી હતી. ભૌમિક કહ્યું હતું કે ગોસ્વામીની મંજૂરી વિના અભિજિત મુખરજી ત્રિપુરામાં આવતાં તેમને મારવામાં આવ્યા હતા.