24 October, 2012 02:51 AM IST |
નાણાપ્રધાને કહ્યું હતું કે ‘મોટી કંપનીઓને આસાનીથી કરોડો રૂપિયાની લોન મળતી હોય છે અને આ કંપનીઓ લોનની રકમ ચૂકવતી પણ નથી હોતી. હકીકત એ છે કે જો તમે ગરીબ હો તો લોન મેળવવા તમારે બૅન્ક પાસે જવું પડે છે, પણ જો તમે કૉર્પોરેટ કંપનીના માલિક હો તો (લોન આપવા) બૅન્ક તમારી પાસે આવતી હોય છે. જો કૉર્પોરેટ કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો બૅન્કને પરિણામ ભોગવવાં પડે છે, જ્યારે ગરીબ માણસોએ નાની રકમની લોન પણ ઊંચા વ્યાજે લેવી પડે છે અને તે હંમેશાં લોન ચૂકવવામાં કાળજી રાખે છે કારણ તેને ખબર છે કે જો સહેજ પણ ચૂક થશે તો તેને બીજી વખત લોન નહીં મળે.’
શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ નામની ફાઇનૅન્સ કંપનીનો સોશ્યલ ઑડિટ રિપોર્ટ જાહેર કરતી વખતે નાણાપ્રધાન આમ આદમીની પીડાને વાચા આપી હતી.