30 October, 2012 05:39 AM IST |
ગઈ કાલે લખનઉમાં તેમણે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે જો ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૬૦ બેઠકો સમાજવાદી પાર્ટી જીતશે તો દિલ્હીમાં આપણું રાજ હશે. મુલાયમ સિંહની પાર્ટી કેન્દ્રમાં યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહી છે. લોકસભાની ચૂંટણી માટે હવે બહુ ઓછો સમય બચ્યો હોવાનું જણાવતાં મુલાયમ સિંહે કાર્યકરોને અખિલેશ સરકારની કામગીરી વિશે લોકોને માહિતી આપવા જણાવ્યું હતું.