આસામમાં ફરી હિંસા ફાટી નીકળી

16 November, 2012 06:38 AM IST  | 

આસામમાં ફરી હિંસા ફાટી નીકળી

ગઈ કાલે થયેલી હિંસામાં એક જણનું મોત થયું હતું. આ પછી કોકરાઝાર શહેરમાં અચોક્કસ મુદતનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સવારે કેટલાક લોકોએ નિરીસુન બાસુમૈત્રી નામના માણસની ગોળી મારીને હત્યા કર્યા બાદ અથડામણ શરૂ થઈ હતી. હિંસામાં અબ્દુલ કલામ નામની વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ફરી હિંસાની ઘટના બાદ આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ ઉચ્ચ સ્તરની બેઠક બોલાવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થિતિને કાબૂમાં લેવા માટે આર્મીની મદદ પણ માગી હતી.