16 August, 2012 12:09 PM IST |
જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સરહદ પર આવેલી ભારતીય પોસ્ટ પર ગોળીબાર કરીને પાકિસ્તાને છેલ્લાં 11 અઠવાડિયામાં સાતમી વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
ગઈ કાલે ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તે વાઘા બોર્ડર પર બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ આદિત્ય મિશ્રા અને પાકિસ્તાની રેન્જરના બ્રિગેડિયર ઝાહિદ રાણા વચ્ચે મીઠાઈ અને શુભેચ્છાની આપ-લે થઈ હતી. જોકે એના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાની રેન્જરના જવાનોએ કાશ્મીરમાં ભારતીય પોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું. બીએસએફના સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે બપોર બાદ પાકિસ્તાન તરફથી થોડી-થોડી વારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.