પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

11 November, 2019 12:11 PM IST  |  New Delhi

પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

ભારતીય સેના(પ્રતિકાત્મક તસવીર)

ભારતીય સેનાના જવાનોને જાસૂસીની જાળમાં ફસાવવા માટે અત્યાર સુધી પાકિસ્તાન સુંદર મહિલાઓનો ઉપયોગ કરતું હતું. હવે પાકિસ્તાને નવો જ રસ્તો અખત્યાર કર્યો છે.
સેનાએ પોતાના જવાનોને નકલી સાધુ-સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ-સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઈ શકે છે એવું સેનાનું કહેવું છે.
એક અહેવાલમાં કહેવાયું છે કે પાકિસ્તાનના જાસૂસો સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સાધુ-સંતનો વેશ ધારણ કરીને જવાનોને અને તેમના પરિવારને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે આ નવો રસ્તો અપનાવાયો છે.
સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસો સૈનિકોને ફસાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આવાં ૧૫૦ સોશ્યલ મીડિયા અકાઉન્ટની ઓળખ કરી છે. આ અકાઉન્ટ પાકિસ્તાની જાસૂસોના હોઈ શકે છે. સેનાએ પોતાના જવાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે. પાકિસ્તાની એજન્ટો સેનાના ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ-નંબર મેળવવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે.

indian army pakistan