06 January, 2021 02:35 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડે ટેલિકૉમ ટાવરને કેટલાક ટીખળખોરો દ્વારા કરવામાં આવેલા નુકસાન સામે રાજ્ય સરકારને નિર્દેશ આપવા પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરેલી અરજીના કેસમાં મંગળવારે કોર્ટે પંજાબ સરકાર તેમ જ કેન્દ્રને નોટિસ ફટકારી છે. દિલ્હી સરહદ પર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શનને પગલે પંજાબમાં ૧૫૦૦ જેટલા મોબાઇલ ટાવરને નુકસાન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ જિયોએ સોમવારે એક અરજીમાં જણાવ્યું હતું કે કેટલાંક સ્થાપિત હિતો એવી ખોટી અફવા ફેલાવી રહ્યાં છે કે રિલાયન્સ જૂથ કૉર્પોરેટ અથવા કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે.