08 April, 2021 11:04 AM IST | Srinagar | Agency
શ્રીનગરની હૉસ્પિટલમાં રસી મુકાવતા ઓમર અબદુલ્લા. પી.ટી.આઇ.
નૅશનલ કૉન્ફરન્સ (એનસી)ના નેતા ઓમર અબદુલ્લાએ બુધવારે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એસકેઆઇએમએસ) ખાતે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. અગાઉ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધાનાં સપ્તાહો બાદ તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.