12 October, 2011 08:23 PM IST |
અડવાણીએ કહ્યું હતું કે આ રથયાત્રાનો ઉદ્દેશ સારી શાસનવ્યવસ્થા તથા સ્વચ્છ રાજનીતિ છે. તેમણે લોકપાલ બિલ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.
૨૩ રાજ્યોમાંથી પસાર થશે
૮૪ વર્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા કુલ ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. અડવાણીની આ છઠ્ઠી રથયાત્રા છે. એમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો, આંદામાન-નિકોબાર, જમ્મુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત અને દક્ષિણનાં રાજ્યોને આવરી લેવામાં આવશે. આ રથયાત્રા ૭૬૦૦ કિલોમીટરની હશે. એ દેશના સોથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે.
જયપ્રકાશના ઘરની મુલાકાત
બીજેપીના પીઢ નેતા અડવાણી, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે સિતાબ્દીયારામાં જયપ્રકાશ નારાયણના પૂર્વજોના સમયના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. અડવાણીએ કહ્યું હતું કે આપણે ૨૧મી સદીમાં ભારતને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. તેમણે નીતીશકુમારના શાસનનાં પણ વખાણ કર્યા હતાં.
દિગ્વિજય સિંહનો સવાલ
દિગ્વિજય સિંહે અણ્ણા હઝારેને લખેલા પત્રમાં કહ્યું હતુંં કે ‘અડવાણી કાળાં નાણાં પાછાં લાવવા માટે રથયાત્રા કરી રહ્યા છે, પરંતુ તેમણે એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના શાસનકાળ દરમ્યાન કેમ આ માટે કશું ન કર્યું?’