કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

09 August, 2019 11:48 AM IST  |  નવી દિલ્હી

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

કોઈને આવો પાકિસ્તાન જેવો પાડોશી ન મળે-રાજનાથ સિંહ

કલમ-૩૭૦ હટાવ્યા બાદ ગિન્નાયેલા પાકિસ્તાન પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જોરદાર પ્રહાર કર્યા છે. સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સૌથી મોટી આશંકા આપણને આપણા પાડોશીની જ રહે છે. એટલું જ નહીં, રાજનાથે એટલું પણ કહી દીધું કે ભગવાન ન કરે, કોઇને આવો (પાકિસ્તાન જેવો) પાડોશી મળે.
આ મામલામાં પ્રતિક્રિયા આપતાં રાજનાથ સિંહે કહ્યું કે ‘સૌથી મોટી આશંકા આપણને આપણા પાડોશીથી રહે છે. સમસ્યા એ છે કે તમે મિત્ર બદલી શકો, પરંતુ પાડોશીને પસંદ કરવાનું તમારા હાથમાં નથી હોતું અને જેવા પાડોશી (પાકિસ્તાન) આપણી બાજુમાં બેઠા છે એવા પાડોશી ભગવાન કરે, કોઈને ન મળે.’

pakistan jammu and kashmir rajnath singh