12 December, 2012 03:31 AM IST |
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં હઝારેએ કહ્યું હતું કે ‘જો અરવિંદ કેજરીવાલ એવું વિચારતો હોય કે હું તેની પાર્ટીને સપોર્ટ આપીશ તો તે સપનું જોઈ રહ્યો છે.’ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી પ્રત્યેનું અણ્ણા હઝારેનું સ્ટેટમેન્ટ અવારનવાર બદલાતું રહ્યું છે. ગઈ કાલે જ્યારે અણ્ણાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના વલણનો બચાવ કરતાં કહ્યું હતું કે જો આ પાછળનું કારણ હું જાહેર કરીશ તો વધારે પ્રૉબ્લેમ થશે.
થોડા સમય પહેલાં હઝારેએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના પ્રામાણિક ઉમેદવારોને તેમનો ટેકો મળશે. એ પછી ગયા અઠવાડિયે અણ્ણાએ તેમનું વલણ ચેન્જ કરતાં કેજરીવાલને સત્તાના લાલચુ ગણાવ્યા હતા. અણ્ણાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી પણ સત્તા દ્વારા રૂપિયા અને રૂપિયા દ્વારા સત્તા મેળવવા માગે છે.