રિ​ઝર્વેશનના મામલે નીતીશકુમારનો નવો દાવ, કહ્યું...

31 October, 2020 05:28 PM IST  |  Mumbai | Mumbai correspondent

રિ​ઝર્વેશનના મામલે નીતીશકુમારનો નવો દાવ, કહ્યું...

રિ​ઝર્વેશનના મામલે નીતીશકુમારનો નવો દાવ, કહ્યું...

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગઈ કાલે બીજા તબક્કાના મતદાન પહેલાં અનામતના મામલે એક નવો ફણગો મૂકી ચર્ચાને વેગ આપ્યો છે. ચંપારણના વાલ્મીકિ નગરમાં એક ચૂંટણી-રૅલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે જેટલી વસ્તી છે એના આધારે અનામત હોવી જોઈએ. કેટલી વસ્તી છે એની વસ્તીગણતરી બાદ ખબર પડશે. પરબટ્ટામાં ચૂંટણી-રૅલીને સંબોધન કરતાં નીતીશકુમારે કહ્યું કે આજે તેઓ મહિલાઓની સ્થિતિ વિશે વાત કરે છે, તેમના શાસનમાં મહિલાઓની શું હાલત હતી એની સદંતર અવગણના કરવામાં આવતી હતી. લાલુ પ્રસાદનું નામ લીધા વિના નીતીશકુમારે કહ્યું હતું કે તેમણે પત્ની રાબડીદેવીને ખુરસી પર બેસાડવા સિવાય મહિલાઓના કલ્યાણ માટે કાંઈ કર્યું નહોતું.

national news nitish kumar