નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું

11 February, 2017 08:10 AM IST  | 

નોટબંધી પર નીતીશનો યુ-ટર્ન : પૂછ્યું કે કેટલું કાળું ધન બહાર આવ્યું

અગાઉના વલણમાં યુ-ટર્ન લેતાં નીતીશકુમારે એ પગલા દ્વારા કેટલું કાળું નાણું બહાર આવ્યું એની વિગતો કેન્દ્ર સરકારને પૂછી છે.

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન નીતીશકુમારે કહ્યું હતું કે ‘હવે અમે પણ પૂછીએ છીએ. હવે પૂછવું જ જોઈએ કે કેટલું કાળું નાણું બહાર આવ્યું? બનાવટી ચલણી નોટો પકડવાનું શું થયું? ડીમૉનેટાઇઝેશન કેટલું હિટ નીવડ્યું? આગળનો રોડમૅપ શો છે?’