ગડકરી રાજીનામું નહીં આપે : બીજેપી

28 October, 2012 04:55 AM IST  | 

ગડકરી રાજીનામું નહીં આપે : બીજેપી

જોકે ગઈ કાલે બીજેપીએ સર્વાનુમતે ગડકરીને સર્પોટ આપવાનો નિર્ણય કર્યો હતો. બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે ગડકરી સામેના આક્ષેપોને પાયાવિહોણા અને ખોટા ગણાવતાં જણાવ્યું હતું કે ખુદ ગડકરીએ જાતે પોતાની સામે તપાસની ઑફર કરી છે ત્યારે પાર્ટી તેમના પડખે છે અને તેમના રાજીનામાના સમાચારમાધ્યમોના અહેવાલો ખોટા છે. ગડકરીએ ગઈ કાલે બીજેપીનાં નેતા સુષમા સ્વરાજ, અરુણ જેટલી તથા મહામંત્રી વિજય ગોયલ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ જાવડેકરે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. અગાઉ શુક્રવારે પણ ગડકરીએ અડવાણી સહિતના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બાદમાં ગઈ કાલે ગડકરીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીપ્રચારમાં પણ ભાગ લીધો હતો. શિમલામાં બીજેપીની સભામાં તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે કૉન્ગ્રેસની ટીકા કરી હતી.