Nirbhaya Case: ત્રણ માર્ચના સવારે છ વાગ્યે થશે ફાંસી...

17 February, 2020 04:35 PM IST  |  Mumbai Desk

Nirbhaya Case: ત્રણ માર્ચના સવારે છ વાગ્યે થશે ફાંસી...

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ મામલે દોષીઓ વિરુદ્ધ નવું ડેથ વૉરંટ જાહેર કરવાના મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. હવે નિર્ભયાના દોષીઓને ત્રણ માર્ચના ફાંસી થશે. દોષીઓને સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે.

નિર્ભયા કેસ મામલે દિલ્હી કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં ચારેય આરોપીઓને 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસીની સજા આપવાનો ડેથ વૉરંટ જાહેર કરી દીધો છે. 

સુનાવણી શરૂ થતાં જ તિહાડ જેલ તરફથી અત્યાર સુધીની સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં સોંપી દેવામાં આવી છે. વિશેષ લોક અભિયોજક રાજીવ મોહને મામલાની વર્તમાન સ્થિતિ વિશે ન્યાયાલયને અવગત કરાવ્યું છે અને કહ્યું કે 4 દોષીઓમાંથી ત્રણે પહેલાથી જ પોતાના કાયદાકીય ઉપાયો વાપરી લીધા છે.

delhi news Crime News national news