કંગના દેશપ્રેમી અને હક માગી રહેલા ખેડૂતો દેશદ્રોહી છે : સંજય રાઉત

06 February, 2021 01:16 PM IST  |  New Delhi

કંગના દેશપ્રેમી અને હક માગી રહેલા ખેડૂતો દેશદ્રોહી છે : સંજય રાઉત

સંજય રાઉત

રાજ્યસભામાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશભક્તિને લઈને સવાલ ઉઠાવતાં મોદી સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં બોલતી વખતે રાઉતે પત્રકાર અર્નબ ગોસ્વામી અને બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટને પણ નિશાને લીધાં હતાં.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન શુક્રવારે શિવસેના સંસદસભ્ય સંજય રાઉતે અર્નબ ગોસ્વામી અને કંગના રનોટ વિશે કટાક્ષ કર્યો હતો. રાઉતે કહ્યું હતું કે દેશપ્રેમી કોણ છે આપણા દેશમાં? માત્ર અર્નબ ગોસ્વામી અને કંગના રનોટ જ? અર્નબના કારણે મહારાષ્ટ્રમાં એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી દીધી. આ દેશપ્રેમી છે, પરંતુ પોતાના હક માટે લડતા ખેડૂતો દેશદ્રોહી છે.

શિવસેના સંસદસભ્યે વધુમાં અર્નબ ગોસ્વામીની વાત કરતાં કહ્યું હતું કે જેણે ઑફિશ્યલ સીક્રેટ કોડ તોડીને બાલાકોટ સ્ટ્રાઇક વિશે પહેલાં જ જણાવી દીધું તે તમારા એટલે કે કેન્દ્ર સરકારના શરણમાં છે. તેને તમારું પ્રોટેક્શન છે. આ નૅશનલ સિક્યૉરિટીનો મુદ્દો છે. તમે એ વિશે વાત નથી કરતા.

national news kangana ranaut arnab swami new delhi