મોદીના કોરોના જાગરૂકતા અભિયાનને સલમાનનો ટેકો

09 October, 2020 10:36 AM IST  |  New Delhi | Agency

મોદીના કોરોના જાગરૂકતા અભિયાનને સલમાનનો ટેકો

સલમાન ખાન

બૉલીવુડના ભાઈજાન સલમાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘#યુનાઇટટૂફાઇટકોરોના’ને પોતાનો ટેકો આપ્યો છે અને આ વાઇરસથી બચવાના ત્રણ મંત્ર અપનાવી દેશવાસીઓને આગળ આવવાની અપીલ કરી છે.

ટ્વિટર દ્વારા સલમાને કહ્યું કે ‘ભાઈઓ-બહેનો અને મિત્રો, આ કપરા સમયમાં માત્ર ત્રણ વાતનું ધ્યાન રાખો; ૬ ફૂટનું અંતર રાખો, માસ્ક પહેરો અને હાથ ધોઈને સૅનિટાઇઝ કરો. કોરોના સામે પીએમ મોદીના જન આંદોલનનો અમલ કરો અને દેશને આગળ વધારો. જય હિન્દ!’

સલમાન ઉપરાંત કંગના રનોટ, પરિણીતી ચોપડા અને શ્રદ્ધા કપૂરે પણ મોદીની આ પહેલને પોતાનો ટેકો આપ્યો હતો.

Salman Khan narendra modi national news