ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

23 September, 2019 03:40 PM IST  |  નવી દિલ્હી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

કલ્યાણ સિંહ

અયોધ્યાના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં કોર્ટે ૯ સપ્ટેમ્બરે સીબીઆઇની વિશેષ કોર્ટે કલ્યાણ સિંહને ૨૭ સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઇશ્યુ કર્યું છે. વિશેષ જજ સુરેન્દ્રકુમાર યાદવે બારના સભ્યોને આ અંગે આદેશ આપ્યા છે. કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

બારના સભ્યોનું કહેવું હતું કે કલ્યાણ સિંહ હવે રાજ્યપાલ પદથી સેવાનિવૃત્ત થઈ ગયા છે. ૯ સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની વિશેષ કોર્ટે આ બાબતમાં કલ્યાણ સિંહને હાજર કરવાની માગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કલ્યાણ સિંહ હવે બંધારણીય હોદ્દા પર નથી. જેથી તેમને સમન્સ ઇશ્યુ કરાયું છે. ૩૦ મે ૨૦૧૭ના રોજ આ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર તથા વિષ્ણુ હરી દાલમિયા પર કલમ ૧૨૦ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. સીબીઆઇની તપાસ બાદ આ મામલે કુલ ૪૯ આરોપીઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરાયું હતું.

આ પણ વાંચો : 22 હજારનો દંડ માત્ર 400 રૂપિયા ભરીને પતાવો, ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ

જેમાંથી ૧૬ આરોપીઓનાં મૃત્યુ થઈ ગયા છે. આ કેસમાં ૩૨ આરોપીઓ વિરુદ્ધ સુનાવણી થઈ રહી છે. ૨૦૧૭માં હાઈ કોર્ટે આ કેસની સુનાવણી ૨ વર્ષમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ થતાં ૪૯ ફરિયાદ દાખલ કરાઈ હતી.

national news babri masjid