નીરજ ગ્રોવર મર્ડરકેસમાં દોષી એમિલ જેરોમની જામીનઅરજી નામંજૂર

21 December, 2011 09:07 AM IST  | 

નીરજ ગ્રોવર મર્ડરકેસમાં દોષી એમિલ જેરોમની જામીનઅરજી નામંજૂર

 

આ અરજી નામંજૂર કરતી વખતે હાઈ ર્કોટે કહ્યું હતું કે એમિલ વિરુદ્ધ પૂરતા સાંયોગિક પુરાવાઓ છે અને એના આધારે જામીનઅરજી નામંજૂર કરવામાં આવે છે. ટ્રાયલ ર્કોટે નીરજ ગ્રોવર મર્ડરકેસમાં એમિલ જેરોમ અને તેમની ફિયાન્સે મારિયા સુસાઇરાજને આરોપી જાહેર કરતાં જણાવ્યું હતું કે આ પૂર્વનિયોજિત મર્ડર નહોતું. આ કેસમાં એમિલને ૧૦ વર્ષની અને મારિયાને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.