24 October, 2012 07:06 AM IST |
ભગવાન રાસ માટે કોઈ પૂર્વતૈયારી કે ખૈલેયાઓને કોઈ ખાસ સ્ટેપ આપવામાં આવતા નથી. આ રાસનું મહત્વ એ છે કે રાસ રમવા આવતા ખૈલેયાઓ ભગવાનનાં વસ્ત્રોમાં આવે છે. બીજી ખાસિયત એ છે કે આ રાસ રમવામાં માત્ર પુરુષો અને છોકરાઓ જ હોય છે. આ રાસ પછી બધા ભગવાન એકસાથે મા દુર્ગાને નમન કરે છે. જગદીશચંદ્ર મહેતા કહે છે, ‘નારીશક્તિનું મહત્વ સમજાવવા માટે આ રાસ સૌથી સર્વશ્રેષ્ઠ છે. કેટલાય લોકોએ આ રાસ જોઈને ગદ્ગદ થઈ જાય છે. અનેક લોકોની આંખમાં આંસુ પણ છલકાઈ જાય છે.’
એવું નથી કે આ રાસ એકલા જામનગરમાં થાય છે. વડોદરાના આજવા ગામના નવદુર્ગા ગરબી મંડળમાં પણ ભગવાન રાસ કરવામાં આવે છે અને સુરતની બાજુમાં આવેલા કડોદરા ગામે પણ ભગવાન રાસનું આ પ્રમાણેનું આયોજન થયું છે.
- તસવીર : વિશ્વાસ ઠક્કર