બિહારમાં નીતીશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું

10 February, 2021 11:10 AM IST  |  Patna | Agency

બિહારમાં નીતીશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું

નીતીશ કુમાર

બિહારમાં નીતિશ કૅબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના શાહનવાજ હુસેન સાથે કુલ ૧૭ નેતાઓએ મંગળવારે પ્રધાનપદના શપથ લીધા હતા. બિહારમાં સરકાર બન્યા પછી ખૂબ જ લાંબા સમયથી કૅબિનેટ વિસ્તરણની રાહ જોવાઈ રહી હતી, જેમાં બીજેપી ક્વૉટાના ૯ અને જેડીયુ ક્વૉટાથી ૮ મંત્રીઓએ શપથ લીધા હતા. કુલ ૧૭ મંત્રીઓએ શપથ લેતાં બિહાર મંત્રીમંડળ નીતિશની કૅબિનેટનું વિસ્તરણ થયું છે.

શાહનવાજ હુસેન ફરીથી મંત્રી બની રહ્યા છે. લગભગ ૨૦ વર્ષ પછી તેમને ફરીથી મંત્રીપદ મળી રહ્યું છે.

nitish kumar national news bharatiya janata party